નરેગા યોજના અંતર્ગત 2021-22 દરમિયાન ગુજરાત રાજ્ય અને દાહોદ જિલ્લાના ઈતિહાસમાં બીજી વખત 100 લાખ માનવદિન ઉત્પન્ન કરી રોજગારી પૂરી પાડવાનો એતિહાસિક રેકોર્ડ બનાવવાની ક્રેડિટ લેવાઇ રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જિલ્લામાં છેલ્લા બે માસમાં મજુરોનો પરસેવો સુકાઇ ગયો હોવા છતાં તેમને મજુરી સાથે મટીરીયલના રૂપિયા પણ આપવામાં આવ્યા નથી. આ પાછળનું કારણ કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટનો અભાવ હોવાનું કહેવાઇ રહ્યું છે.
કેટલાંક લોકોએ મજુરી માટે પરગામોમાં જવાના સ્થાને ઘર આંગણે જ મળી રહેતી મજુરી કરી હતી. જોકે, છેલ્લા બે માસથી તેમને મજુરીની કાંણી પાઇ મળી નથી. હાલમાં મનરેગા હેઠળ ચાલી રહેલા સામુહિક કૂવા, માટી મેટલ રોડ, કેટલ શેડ, પ્રાધન મંત્રી આવાસ યોજના અને જમીન લેવલિંગનું કામ કરવામાં જોતરાયેલા છે.
દાહોદ જિલ્લામાં મનરેગામાં વર્ષ 2021-22 દરમિયાન કુલ રૂપિયા 215.55 કરોડ મજુરીખર્ચ અને રૂપિયા 190.75 કરોડ માલસામાન ખર્ચ એમ કુલ રૂપિયા 406.30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સાથે 1.82 લાખ કુટુંબોના 5.03 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જળ સંચય અને જળસંગ્રહના 2868 , જૂથ સિંચાઈ કુવાના 3339 , જમીન સુધારણાના 8966 , પશુ શેડના 4486 સહિત કુલ 44696 કામો કરાતાં ખેડૂતોની આવકમાં વધારાનો દાવો કરાયો છે.
કયા તાલુકાના શેના કેટલા રૂપિયા બાકી
તાલુકો | લેબર | મટીરીયલ | કડીયા મજુરી |
ગરબાડા | 2.26 કરોડ | 87 લાખ | 9 હજાર |
દાહોદ | 4.33 કરોડ | 3.12 કરોડ | 79 લાખ |
દે.બારિયા | 2.24 કરોડ | 3.30કરોડ | 10 લાખ |
ધાનપુર | 9.45 કરોડ | 4.93કરોડ | 20 લાખ |
ફતેપુરા | 5.55 કરોડ | 5.14 કરોડ | 00 લાખ |
ઝાલોદ | 2.68 કરોડ | 5.27કરોડ | 66 લાખ |
લીમખેડા | 2.04 કરોડ | 5.01કરોડ | 34 લાખ |
સંજેલી | 43 લાખ | 3 | 81 લાખ |
સિંગવડ | 2.57 કરોડ | 2.25 કરોડ | 71 લાખ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.