તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લામા સમગ્ર કોરોના કાળમા દર્દીઓ મામલે જિલ્લા મથક દાહોદ આજ દિન સુધી મોખરે રહ્યુ છે. હાલમાં પણ રોજેરોજ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે તહેવારોને અનુલક્ષીને શહેરના સ્ટેશન રોડ સ્થિત શીતળા માતાનું મંદિર અને પરેલમાં આવેલુ સુદઈ માતાનુ મંદિર તારીખ 01થી 05 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. શીતળા માતાનુ મંદિર બંધ રખાયુ હોવા છતાં સાતમે રાતથી જ ભાવિકોની ભીડ જામી હતી.
બીજી તરફ ફાગણ વદ સાતમ જેને ઘણા લોકો શીતળા સાતમ તરીકે ઉજવે છે. આ દિવસે આગલા દિવસે બનાવેલુ ઠંડુ ભોજન જ આરોગવાનુ હોય છે. તે પહેલા શીતળા માતાની પૂજા કરવાની હોય છે તેમજ મહિલાઓ આ દિવસે સ્નાન પણ ઠંડા પાણીથી જ કરે છે. ત્યારે આજે સાતમ હોવાથી શીતળા માતાનુ મંદિર બંધ હોવા છતા રાતના 12 વાગ્યાથી મહિલાઓની ભીડ જામવા લાગી હતી.
શ્રધ્ધાળુઓએ બંધ મંદિરના પટાંગણમા જ પૂજા અર્ચના કરી હતી. જેથી ઠેર ઠેર પૂજાનો સામાન વેર વિખેર થયેલો જોવા મળ્યો હતો. આમ ભીડ ન થાય તેના માટે મંદિર બંધ રખાયુ હોવા છતા આસ્થાને તાળા કેવી રીતે મારવા? આમ ખરેખર શ્રધ્ધાના સરનામા નથી હોતા તે ફરી પુરવાર થયુ છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.