દિલ્હી મુંબઈ કોરીડોરમાં માટી પુરાણકામ માટે તળાવમાંથી માટી લઈ જવાનું કામ ચાલુ થવાનું છે. ગામમાં જવા આવવા માટે એક માત્ર રોડ ગ્રામ પંચાયત વડેલાથી સ્મશાન રોડ હતો. તે કોરિડોરના કામ દરમિયાન તોડી નાખવામાં આવ્યો છે. કોરિડોર રોડ ઓથોરિટીએ ગામ માટે સર્વિસ રોડ બનાવેલ નથી અને એક રોડ હતો તે પણ તેમનાં દ્વારા નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યો છે.આથી કામ શરૂ કરતાં પૂર્વે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેના કારણે કોરીડોરના જવાબદાર અધિકારી અને કર્મચારી તેમજ ગ્રામજનો વચ્ચે મીટિંગ થઇ હતી.
જેમાં વડેલા ગ્રામ પંચાયતથી વડેલા સ્મશાન જવાનો ડામર રોડ તેમની કામગીરીમાં લોડિંગ વાહનોની અવરજવરના કારણે તૂટ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રસ્તાના રીપેરીંગ કરી પછી કામ ચાલુ કરીશું એવી બાંહેધરી જવાબદારો દ્વારા આપવામાં આવી હતી. જોકે વડેલા ગામના નાગરિકોની જાનમાલની પરવા કર્યા વિના રોડનું માટી પુરાણ કામ રિપેરિંગ કામ ચાલું કરી કરી દેતાં ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.