હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. 4થી 6 માર્ચ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર સાથે દાહોદમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આ જિલ્લાઓમાં પવન અને કમોસમી માવઠું – સામાન્ય વરસાદ પડી શકે તેમ છે. આ આગાહીના પગલે જેમનું ધાન ખેતરમાં જ પડ્યુ છે. તેવા દાહોદ જિલ્લાના ખેડુતોમાં દોડધામ જોવા મળી હતી.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક, ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવાની સુચનાઓ અપાઇ છે. આ સાથે જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસે દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
20% ખેડૂતોનું ધાન્ય ખેતરમાં જ પડ્યુ છે
દાહોદ જિલ્લામાં ઘઉંની કાપણી થઇ ગઇ છે. મહત્તમ ખેડુતો દ્વારા ઘઉ કઢાવીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. જોકે, હજી પણ જિલ્લામાં 20 ટકા ખેડુતોનું ધાન ખેતરમાં જ પડ્યુ હોવાથી તેમનામાં ચિંતા જોવા મળી રહી છે. આવા ખેડુતો ઘઉં ઉપાડી લેવા કે તેને ખેતરમાં જ ઢાંકી દેવાની વૈતરણ અને વિમાસણમાં જોવા મળ્યા હતાં.
ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક – વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.) જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800-1801-551 ઉપર સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પી.આર દવેએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.