ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે દાહોદ શહેર સહિત જિલ્લામાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા પતંગના દોરાથી કોઈને નુકસાન ન થાય, અકસ્માત ન સર્જાય અને ઈજા ન થાય તેવા હેતુ સાથે દાહોદ શહેરમાં ઓવરબ્રીજ ઉપર તાર બાંધવાની કામગીરી શરૂં કરવામાં આવી છે.
વર્ષો પહેલા કિશોરનું ગળુ કપાતા મોત નીપજ્યુ હતુ
ઉત્તરાયણ પર્વ ગુજરાતના લોકોનો અનેરો તહેવાર છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે ભુતકાળમાં પતંગના દોરાથી શહેરના લોકોને નાની મોટી ઈજાઓ સહિત કેટલાંક વર્ષો અગાઉ આ જ ઓવરબ્રીજ પર કિશોરનુ પતંગના દોરાથી ગળું પણ કપાતા તેનુ મોત નીપજયુ હતુ. ત્યારે પતંગના દોરાથી અકસ્માત ન સર્જાય અને લોકોને કોઈ ઈજા ન પહોંચે તે માટે દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરમાં આવેલા ઓવરબ્રીજ, થાંભલા વિગેરે જેવા ઉંચાઈવાળા સ્થળોએ તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રસ્તા વચ્ચે પતંગ ચગાવનારાથી જોખમ
ઉત્તરાયણ પર્વના દિવસોમાં દાહોદ શહેરમાં ઘણા પતંગ રસીયાઓ રસ્તાની વચ્ચે આવીને પતંગ પણ ચગાવતાં હોય છે. જેને પગલે રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો પણ જીવ જાેખમમાં મુકાય તેવી શક્યાઓ રહેલી છે. ત્યારે દાહોદમાં સંલગ્ન તંત્ર દ્વારા રસ્તા પર પતંગ ચગાવતા પતંગ રસીયાઓ સામે અભિયાન સહિત કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.