દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાછવા ગામે તું વચ્ચે કેમ પડે છે તેમ કહી બે ભાઇઓએ યુવકને લાકડી વડે માર મારી માથામાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે ધાનપુર પોલીસે હુમલાખોર ભાઇઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાછવા ગામનો માનવેન્દ્રભાઇ શાન્તીલાલ પસાયા ગત તા. 3 મેના રોજ સાંજના સમયે કોટંબી ચોકડી પાસે ઉભો હતો. તે દરમિયાન રાઠવા ગામનો શિવરાજ ગમીરભાઇ પસાયા અને તુષાર ગમીરભાઇ પસાયા તેની પાસે આવી મારો ભાઇ તુષાર ગમે ત્યાં વાતો કરતો હશે તું કેમ વચ્ચે પડે છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ માનવેન્દ્રને બિભત્સ ગાળો બોલી હતી. ઉપરાંત તુષારે માનવેન્દ્રને પકડી રાખતાં શિવરાજે તેના હાથમાંની લાકડી માનવેન્દ્રના માથાના પાછળના ભાગે મારી દેતાં તેને લોહી ફૂટી નીકળ્યું હતું.
આ ઉપરાંત બંને ભાઇઓએ શરીરે ગડદાપાટુનો માર મારી તને જીવતો છોડવાના નથી તેમ કહી ગમે તેમ ગાળો બોલી મારકુટ કરી હતી. જેમ-તેમ કરી માનવેન્દ્ર બચીને ભાગી જતાં બંન્નેએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે માનવેન્દ્ર પસાયાએ હુમલાખોર બંન્ને ભાઇઓ વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.