મોટીવાવ ગામની સગીરા ગત 1 જૂનના રોજ ઘરમાં ખાટલો ઢાળીને સુતી હતી.તે દરમિયાન મોટીવાવ ગામના સેવનિયા ફળિયામાં રહેતો હસમુખ મહેશભાઈ ચૌહાણ રાત્રિના સમયે સગીરાને તેના વાલીપણા માંથી પટાવી ફોસલાવી પોતાની પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી લઇ નાસી ગયો હતો.
સગીરાના માતા-પિતાએ હસમુખ ચૌહાણના પરિવારજનોને પોતાની દીકરી પરત સુપરત કરવાની વાત કરી હતી.પરંતુ તેઓએ સગીરાને દીકરીને પરત નહીં આપતા આખરે સગીરાની માતાએ લીમખેડા પોલીસ મથકમાં હસમુખ મહેશભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.