તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડામાં લાંબા સમય સુધી તબીબી પ્રેક્ટીસ કરી અમેરિકા સ્થાયી થયેલા ડૉક્ટર રાજન ભગતનું કોરોનાના કારણે અવસાન થતાં સંખેડાના નગરજનોમાં શોકની લાગણી ફેલાઈ. બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામના વતની અને સંખેડા બજાર મધ્યે ડૉ.રાજન ભગતનું દવાખાનું હતું. સંખેડાથી અમેરિકા તેઓ થોડા વર્ષો અગાઉ સ્થાયી થવા માટે ગયા હતા. થોડા સમય અગાઉ એક સર્જરી બાદ કોરોનાની અસર થઈ હતી. કોરોનાની સારવાર દરમિયાન તેઓનું અમેરિકા ખાતે જ અવસાન થયું હતું. ગામના લગભગ દરેક વ્યક્તિ સાથે સારા સંબંધ ધરાવનાર ડૉ.રાજન ભગતના અવસાનથી પ્રજામાં શોકની લાગણી ફેલાઇ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.