મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી પ્રયોગશાળા, છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવાયું છે કે, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે દાહોદ અને રાજપીપળા ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટીના નમૂનાઓના પૃથ્થકકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે.
જે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખેતરની માટીના નમૂનાનું પૃથ્થકકરણ કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરમાંથી માટીનો નમૂનો એકત્ર કરી મદદનીશ ખેતી મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, ગોવિંદનગર રોડ, ચાકલીયા ચોકડી, દાહોદની કચેરી અને ખેડૂત તાલીમ કેન્દ્ર, વડિયા પેલેસ રાજપીપળા, તા. નાંદોદ જિ. નર્મદા ખાતે પહોંચતા કરવાના રહેશે. માટીના નમૂનાની જમીન ચકાસણી માટે સરકારના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબની ફી રૂા. 15 પ્રતિ નમૂના લેખે જે તે જમીન ચકાસણી પ્રયોગશાળા કચેરીએ ભરવાના રહેશે.
ત્યારબાદ નમૂનાનું પુથ્થકકરણ કરી આપવામાં આવશે. જમીનના નમૂના લેવાની પદ્ધતિ બાબતે સંપૂર્ણ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક તેમજ તાલુકાકક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)નો સંપર્ક કરવાનો રહેશે. એમ મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી પ્રયોગશાળા, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.