તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર તાલુકાના ચીસાડીયા ગામ પાસે રેલવેનો ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. જેને માત્ર એક વર્ષ જેવો સમય થયો છે. જેના ઉપર મોટું ગાબડું પડી જતા સળિયા બહાર આવી ગયા છે અને તિરાડો જોવા મળી રહી છે. જેને જોતા અકસ્માત થવાનો ભય ફેલાયો છે. બનાવેલ ઓવરબ્રિજ ઉપર ગાબડું પડતા રાહદારીઓ અવર જ્વર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલ રેલવે ફટકો ઉપર સરકાર દ્વારા 4 જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જેનાથી ફાટક બંધ કરવી ન પડે અને વાહન વ્યવહાર અટકી ન જાય. પરંતુ બનાવેલ ઓવરબ્રિજની હાલત સારી જણાતી નથી. તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે. બનાવેલ ઓવરબ્રિજ ઉપર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. રસ્તાનું લેવલિંગ જોઈએ તેવુ જણાતું નથી. જેની ફરિયાદ આ રસ્તાઓ ઉપર અવર જવર કરતી પ્રજા કરી રહી છે.છોટાઉદેપુરના ચીસાડીયા ગામ પાસેથી પસાર થતો રેલવે ઓવરબ્રિજ ઉપર એક વર્ષમાંજ ગાબડું પડી જતા સૌને નવાઈ લાગી હતી.
ગુજરાતથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે ઉપર રોજના કેટલાય વાહનો પસાર થતા હોય છે. જે ઓવરબ્રિજ ઉપર ગાબડું પડ્યું છે અને સળિયા બહાર આવી ગયા છે. જેના કારણે આ રસ્તા ઉપર અવરજવર કરતા રાહદારીઓને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજ ઉપર આ રીતે નુકસાન થયું છે. જો એક જ વર્ષમાં આવી હાલત છે. તો આગળ જતાં શુ પરિસ્થિતિ આવશે એ જોવાનું રહ્યું. ઓવરબ્રિજ ઉપર પડેલું ગાબડું પુરાવી તાત્કાલિક રીપેરીંગ કામ કરાવવા પ્રજા માંગ કરી રહી છે. જેથી રાહદારીઓને મુશ્કેલી ન પડે તંત્ર આ અંગે યોગ્ય પગલાં ભરે એ ખૂબ જરૂરી છે.
તંત્ર યોગ્ય પગલાં ભરે તો અકસ્માત અટકી શકે
ગુજરાત મધ્યપ્રદેશને જોડતા હાઇવે ઉપર ઓવરબ્રિજ ઉપર પડેલ ગાબડાંને કારણે અકસ્માત થવાની ભારે શક્યતાઓ રહેલી છે. જે અંગે તંત્ર યોગ્ય પગલાં ભરે એ ખૂબ જરૂરી છે. - સોમાભાઈ રાઠવા, પ્રમુખ, છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.