છોટાઉદેપુર તાલુકાના ધંધોડા, બૈડવી, મીઠાલી જેવા ગામોમાં વીજળીના અભાવે આદિવાસી પ્રજા ભારે પરેશાન હતી. વીજળી ન મળતાં વર્ષોથી અંધારા ઉલેચવાનો વારો આવતો હતો. પરંતુ સરકારની કુટિર જ્યોત યોજના હેઠળ 65 જેટલા લાભાર્થીઓને વીજ જોડાણ માટેની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આથી હવે વર્ષોથી રહેલી વીજળીની સમસ્યા હલ થશે. ઘરે ઘરે વીજ જોડાણ મળતાં ગરીબ આદિવાસી ભારે ખુશ જોવા મળી રહ્યો છે.
છોટાઉદેપુર તાલુકામાં આવેલ ધંધોડા ગામે છેલ્લા 35 વર્ષથી 13 જેટલા ઘરો અંધારામાં વીજળી વગર રહેતા હતા. તેઓને કુટિર જ્યોત યોજના હેઠળ વીજ કનેક્શન મળતાં ભારે આનંદ ફેલાયો છે. તાલુકાના ધંઘોડાની સાથે સાથે બૈડવી ગામે 12 અને મીઠાલી ગામે 40 જેટલા કુલ 65 વીજ કનેક્શનો આપવામાં આવ્યા છે. જેથી સમગ્ર છોટાઉદેપુર પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે. છોટાઉદેપુરના એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જે આર દરજીએ જણાવ્યું હતું કે કુલ 65 જેટલા લાભાર્થીઓને વીજ કુટિર જ્યોત યોજના હેઠળ વીજ જોડાણ અંગેની કામગીરી કરવામાં આવી છે. હાલ બીજી કામગીરી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.