રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોમાં કુપોષણ દૂર થાય તે માટે આંગણવાડીના બાળકોને રોજ બાળક દીઠ એક દૂધની થેલી આપે છે. પરંતુ ગામડાઓમાં ચાલતી આંગણવાડીઓમાં દૂધ સમયસર પહોંચતુ નથી. આંગણવાડીમાં દૂધ પહોંચાડવાની જગ્યાએ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે. તેનો વરવો નમૂનો બહાર આવ્યો છે.
હરીયાબાર ગામે આંગણાવાડીના બાળકોનું દૂધ ગામ બહાર રોડ ઉપર બાંકડા ઉપર સવારથી સાંજ સુધી પડી રહ્યું હતું. સરકાર દૂધ વિતરણ માટે લાખ્ખોનો ખર્ચ કરે છે. પરંતુ પૂરતી કાળજી લેવાતી ન હોય જેને લઈ દૂધ સંજીવની યોજનાનું દૂધ પડી રહ્યું હતું. 60 પાઉચ દૂધ ના કેરેટ મા પડી રહ્યા હતા. ખુલ્લામા કેટલીય જગ્યા એ તો દૂધ શ્વાન પી જતા હોય છે.
નસવાડી તાલુકાના આંગણવાડીના બાળકો તંત્રની બે જવાબદારીને લઈ બાળકોને દૂધથી વંચિત રહ્યા છે. હવે આ બાબતે તપાસ કરી દરરોજ ગામડાના બાળકોને દૂધ સંજીવની યોજનાનું દૂધ મળે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.