તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કવાંટમા બે વર્ષથી વિશ્રામ ગૃહ બનાવ્યું છે. આ વિશ્રામ ગૃહ તાલુકાની મુલાકાતે આવતા અધિકારીઓ માટે આશીર્વાદ રૂપ છે. પરંતુ હાલ કેટલાક મહિનાઓથી વિશ્રામ ગૃહમા કેટલાક કાયમી તાલુકામા ફરજ બજાવતા સરકારી કર્મચારીઓએ વિશ્રામ ગૃહને રહેણાંક મકાન સમજીને પડ્યા અને પાથર્યા રહે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મથક ઉપર અતિથિ ગૃહ અને તાલુકા કક્ષાએ વિશ્રામ ગૃહ બનાવવામા આવે છે. આ વિશ્રામ ગૃહનો આશય માત્ર આરામ કરવા પૂરતો જ હોય છે. પરંતુ તાલુકા મથકના આ વિશ્રામ ગૃહમા પોતાનું રહેણાંક મકાન સમજીને રોકાઈ રહેલા કર્મચારીઓને લઈને હાલમા એક પણ રૂમ ખાલી નથી.
જેને લઈને અચાનક કોઈ અધિકારી કે પદાધિકારી આવી જાય તો ક્યાં રાખવા તેની મુંઝવણ સંચાલન કરનાર કર્મચારીઓને સતાવતી રહી છે. જ્યારે રહેતા કર્મચારીને રૂમ ખાલી કરવા કહે છે. તો તેઓ કર્મચારીને વિવિધ રીતે ધમકાવીને પોતાનું રહેણાંક મકાન સમજીને પડી રહ્યા છે. જ્યારે આવા કર્મચારીઓને એચ આર એ પણ મળે છે તેમ જાણવા મળ્યું છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.