બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સર્જાયેલ લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લઠ્ઠાકાંડ મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવેલ છે. જે સમિતિમાં એસ.આઇ. ટી.ના વડા સુભાસ ત્રિવેદી આજે અધિકારી સાથે રાણપુર આવ્યા છે.
સુભાસ ત્રિવેદી દ્રારા શું કરવામાં આવી રહી છે કામગીરી
બરવાળા લઠ્ઠાકાંડ મામલાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે, જે સમિતિના એસ.આઇ. ટી.ના વડા આજે બોટાદ જિલ્લા ના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અધિકારી સાથે પહોંચેલ જ્યાં સ્થાનિક વિગતો મેળવી એસ.આઈ.ટી.ના વડા સુભાસ ત્રિવેદીના જણાવ્યા અનુસાર જે લોકો મૃત્યુ પામ્યા છે, તે પરિવારની મુલાકાત કરવામાં આવશે.
બરવાળા મૃતક પરિવારની લઈ ચુક્યા છે મુલાકાત
બરવાળા લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ સમિતિમાં એસ.આઈ.ટી.ના વડા સુભાસ ત્રિવેદી સહિત અધિકારીઓ સાથે મળી બરવાળા તાલુકામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લઈ ચુક્યા છે. ત્યારે હાલતો બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસ તેમજ તપાસ સમિતિ એક્શન મોડમાં કામ કરતી નજરે પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.