આયોજન:સાળંગપુર હનુમાનજી મંદિરે રંગોત્સવ કાર્યક્રમ

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલા જગવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે તા. 7-3-23 મંગળવારનાં રોજ સવારના 07:30 થી 11 કલાક દરમિયાન પ.પુ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા ની પ્રેરણાથી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી ધુળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંદિરનાં પરિસરમાં ઢોલ નગારા સાથે 70 થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા 120 કંકુના બ્લાસ્ટ કરી 5000 કિલો કલરને એર પ્રેસર મશીનથી હવામાં ઉડાડી 50,000 થી વધુ હરિભક્તો આ રંગેરંગાયા હતા.

હનુમાનજીદાદાનાં મંદિરે રંગોત્સવની ખાસ વિશેષતા હનુમાનજી દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી 5:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા- શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે પ.પૂ.શાસ્ત્રી શ્રીહરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા. આ રંગોત્સવમાં 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા હતા.

આ ઓર્ગેનિક રંગ ઉદયપુરથી મગાવવામાં આવ્યા હતા. આ રંગોત્સવમાં 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો. હતો. તેમજ દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી મૂકવામાં આવી. હતી કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ દાદાને અર્પણ કરી રંગને સંતો દ્વારા હરિભક્તો પર ઉડાવી ઉજવણી કરવામાં આવી ધુળેટી નિમિતે દાદાને 1 હજારથી વધુ ચોકલેટ અર્પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...