તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકા ના નાગનેશ ગામે માલધારી પરિવારના સ્વ.દોલાભાઈ આલાભાઈ બોળીયાનું નાગનેશ ગામે ઇલેકટ્રિક શોર્ટ લાગતા આકસ્મિક મૃત્યુ થતા મૃતકના પત્નીને તાત્કાલિક ગુજરાત સરકાર દ્વારા રૂ.50000નો ચેક અર્પણ કરાયો હતો ત્યારબાદ 12 નવેમ્બરે ગુજરાત સરકાર દ્વારા રૂ.7,0,6000નો ચેક તેમના પત્નીને અપાયો હતો. મૃતકના પત્નિને ચેક અર્પણ કરાતા માલધારી સમાજના ભાજપ અગ્રણીઓએ સૌરભભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ચેક જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઇ વાઘેલા, ગુજરાત કોળી સમાજ ના પ્રમુખ કાળુભાઇ ડાભી (જાખડા), સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ સભાડ, નાગનેશ જીલ્લા પંચાયત સદસ્ય મનીષભાઈ ખટાણા, જીલ્લા ઉપ પ્રમુખ કનકબેન સાપરા, રાણપુર APMC ચેરમેન કિશોરભાઈ ધાધલ, રાણપુર ગ્રામ્ય પ્રમુખ ધીરુભાઈ ઘાઘરેટિયા, મહામંત્રી ભરતસિંહ ડોડીયા, ગૌતમભાઈ ધાધલ, રાણપુર શહેર પ્રમુખ ડૉ જગદીશભાઈ ,મહામંત્રી હરિભાઈ સભાડ, બોટાદ જીલ્લા મંત્રી ડૉ. ધારાબેન ત્રેવેદી, ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ દવે, જીવાભાઈ રબારી, ચંદુભાઈ મીઠાપરા, દીપસંગભાઈ મકવાણા, માજી પ્રમુખ લક્ષમણભાઈ મેટાલિયા, બોટાદ જીલ્લા ભાજપ યુવા પ્રમુખ ગૌતમભાઈ ખસિયા,બોટાદ જીલ્લા બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ અશોકભાઈ સમ્રાટ, બોટાદ શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ વનરાજભાઈ રાઠોડ,બોટાદ શહેર યુવા મોરચા મહામંત્રી જીજ્ઞેશભાઈ બોળીયા તેમજ કનારા સરપંચ, બરાનીયા સરપંચ અને નાગનેશ સરપંચ, માજી ડેલીકેટ વિક્રમસિંહ જાલા, PGVCL ના એન્જિનિયર ગડારા તથા નાગનેશ ગામના આગેવાનોની ઉપસ્થિતિમા મૃતકની પત્નિને ચેક અર્પણ કરવામા આવ્યો હતો.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.