તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની મહામારીના કારણે લાગુ પડેલા લોકડાઉન બાદ બંધ પડેલા તીર્થધામો ધીમે ધીમે યાત્રિકોના પ્રવાહથી ધમધમી રહ્યા છે. કારતક માસ ચાલુ હોવાથી નારાયણ સરોવરમાં દિવસ દરમિયાન યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે. રવિવારના કારતક ચૌદસ તેમજ સોમવારના પૂનમનો વિશેષ મહત્ત્વ હોવાથી ધાર્મિક ક્રિયા કરનારા ભાવિકો બહોળી સંખ્યામાં નારાયણ સરોવર કિનારે પિતૃતર્પણ કરવા માટે આવે છે. મોટાભાગના યાત્રિકો જાણતા-અજાણતા વિધિ દરમિયાન ઉપયોગમાં લીધેલા કપડાં સરોવર કિનારે મૂકી જાય છે તેમજ અન્ય સામગ્રીઓ સરોવરમાં પધરાવી દે છે અથવા કિનારે જ મૂકીને જતા રહે છે.
ભાવિકો સમજદારીપૂર્વક સામગ્રીનો યોગ્ય નિકાલ કરે તો સરોવર કિનારો સાફ સુથરો રહે અને આવતા અન્ય ભાવિકો પણ સરોવર કિનારે સ્વચ્છતા સાથે પૂજા કરી શકે. હાલના સમયમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે તે દરમિયાન મોટાભાગના યાત્રિકો કોરોના પ્રત્યે બેદરકાર જણાઈ રહ્યા છે. માસ્ક પહેર્યા વિના બિન્દાસ ફરતા જોવા મળી રહ્યા છે. કોઈ ટકોર કરે ત્યારે અથવા ફરજિયાત લાગે ત્યારે જ માસ્ક પહેરતા હોય છે.
પ્રશાસન સતત માસ્ક પહેરવા પર જોર દઈ રહ્યો છે ત્યારે લોકો કોરોનાની ગંભીરતાને ન સમજતા અમુક જાગૃત લોકોએ જણાવ્યું હતું કે નારાયણ સરોવર-કોટેશ્વરમાં માસ્ક વગર તેમજ અડધા માસ્ક પહેરેલા દેખાતા લોકોને નારાયણ સરોવર અન્નક્ષેત્ર ભોજનાલયમાં અથવા ગૌશાળામાં ગાયોને ઘાસ ચારા આપવા માટે બે-બે કલાક સુધી મહેનત કરાવવી જોઇએ.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.