તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મીરજાપરની સગીરા પોતાના ઘરેથી એકટીવા લઇ બહેનપણીના ઘરે પુસ્તક દેવાના બહાને નીકળી હતી, એકટીવા ઘરની આગળ મંદીર પાસે મુકી દીધી હતી, જે બાદ કાંઇ અતોપતો ન મળતા પિતાએ એ:ડિવિઝનમાં ફોજદારી નોંધાવી હતી જે અપહરણના કિસ્સામાં પ્રેમસબંધ હોવાનું અને પોલીસે યુવાનને દબોચી લીધાનું જાણવા મળ્યું છે.
સુત્રોમાંથી મળતી વીગતો મુજબ, મીરજાપર ગામે રહેતી સગીરા પોતાના ઘરેથી એકટીવા લઇને નીકળી હતી જે બાદ પિતાએ ભુજ એ ડિવિઝન પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ જે મોબાઇલ નંબર પરથી કોઇને ફોન કર્યો હતો તે મોબાઇલ નંબર પરથી આગળની તપાસ હાથ ધરી હતી અને સફળતા મળી હતી. પ્રેમસબંધ હોવાનું અને પોલીસે યુવાનને ઉઠાવી લીધો હોવાનું આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસે એકાદ બે યુવકોની પુછતાછ કરતા મુખ્ય સુત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.