તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છના દુર્ગમ એવા બન્નીના મિસરિયાળો ગામમાં વાઢા કોલી સમાજની વસાહતમાં રતનાલના દાતા નંદલાલ જિવાભાઈ છાંગા તથા ગામનાં મહિલા અગ્રણી જેનાબાઈ ફકીરા ભચાયા પરિવાર સાથે નવનિર્મિત મંદિરના પૂજારી ખેરાભાઈ ભચાયાના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે લોક શિક્ષણ સમિતિના પ્રમુખ શાન્તિલાલ ઠક્કરે જણાવ્યું હતું કે ગ્રામજનોની લાંબા સમયથી મંદિરની માગણી બાબતે સીમાવર્તી વિસ્તારમાં કાર્યરત સેવા સાધના-કચ્છ સંસ્થાનું ધ્યાન દોરતાં તેમના પ્રયાસથી દાતાનો સંપૂર્ણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. પૂજા અને સામૂહિક આરતીમાં ગ્રામજનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં દાતા પરિવાર સાથે સંદીપ આહિર, દર્શન જોશી, સેવા સાધનાના ખજાનચી નારાણભાઈ વેલાણી, મંદિરના નિર્માણકર્તા બિજલ મારવાડા, પ્રા.શાળાના આચાર્ય પ્રહલાદભાઈ સુથાર, મોનિકાબેન ચૌધરી, દશરથભાઈ, રાહુલભાઈ અને કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. પૂજાવિધિ ઢોરી ગામના ગૌરીશંકર મહારાજે કરાવી હતી.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.