તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યાપારીઓ માટે સૌથી મહત્વનું છે વેપારનો હિસાબ. આવક જાવક અને વેંચાણ ખરીદીનો હિસાબ માટેના ચોપડાનું દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં બ્રાહ્મણની વિધિ સાથે પૂજન કરે છે. જથ્થાબંધ માર્કેટ હોય કે સામાન્ય નાનો વેપારી, તેમના રોજમેળ, વાર્ષિક નોંધ વગેરે બુકનું પૂજા કરે છે. ભુજ સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ સંસ્થાના અને સત્સંગીઓને ચોપડાનું સમૂહ પૂજન યોજાય છે.
મહંત પુરાણી ધર્મનંદનદાસજી તથા જાદવા ભગતની અધ્યક્ષતામાં આ વિધિ મંદિરના સભાગૃહમાં સંપન્ન થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વેપારીઓએ દિપાવલી નિમિત્તે આ વિધિ કરી આવતું વર્ષ વેપારમાં ઉન્નતિ થાય તેવી ભાવના રાખી હતી. ચાલુ વર્ષે કોરોના અને આર્થિક મંદિના કારણે વેપારીઓને ફટકો પડ્યો છે. ત્યારે આવનારુ નવુ વર્ષ સારુ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.