અબડાસા તાલુકાના મોટી સુડધ્રો ગામે 20 વર્ષીય પરિણીત મહિલાએ તેમજ અંજારમાં 22 વર્ષીય યુવકે અકડ કારણોસર ગળે ફાસો ખાઇ જીવન લીલા સંકેલી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાવ બુધવારે બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન કોઇ અગમ્ય કારણોસર મોટી સુડધ્રો ગામે રહેતા મનિષાબેન વિરજીભાઇ હરદાસભાઇ મહેશ્વરી નામની પરણીત મહિલાએ પોતાના ઘરમાં લાકડાની આડી પર દુપટ્ટો બાંધીને ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
હતભાગી મહિલાને નલિયા સીએચસીમાં લઇ જવાતા હાજર પરના તબીબ મહિલાને મૃત જાહેર કરતાં નલિયા પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા સબ ઇન્સ્પેક્ટર વી.આર.ઉલવાએ આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ અંજારમાં લક્ષ્મીટોકીઝ પાસેની મચ્છીમાર્કેટમાં રહેતા 22 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ તા. 13/4ના સાંજે 5 વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં 22 વર્ષીય હિતેશ રમેશભાઈ વિજવાડિયાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવન્જ અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.