તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણાના કોટડા રોહા ગામે માનસિક બીમાર પરિણીત મહિલાએ એસીડ પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોક ફેલાઇ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામે રહેતી 30 વર્ષીય હસીનાબેન મજીદભાઇ હિંગોરજા નામની પરિણીત મહિલાએ મંગળવારે બપોરે બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે એસીડ પી લેતાં તેમને તાત્કાલિક ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કરતાં નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ મુકેશભાઇ સાધુએ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહિલા માનસિક બીમાર હોવાથી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.