તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં રવિવારે કોરોનાના વધુ 22 પોઝિટિવ કેસનો ઉમેરો બતાવાયો છે, જેમાં શહેરોના 14માંથી ભુજ શહેરના 7, ગાંધીધામ શહેરના 6, અંજાર શહેરનો 1 કેસ છે. જ્યારે ગામડાઓના 8માંથી તાલુકા મુજબ અંજાર, માંડવી, મુન્દ્રા 1-1, નખત્રાણા 2, ભુજમાં 3 કેસ છે. જોકે, વધુ 19 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, હજુ 217 દર્દીઓ સારવાર હેઠળ છે.
જિલ્લામાં અત્યાર સુધી કુલ 3228 પોઝિટિવ કેસ ચોપડે ચડાવાયા છે, જેમાંથી કુલ 2898 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 71 દર્દીના સારવાર દરમિયાન કોરોનાથી મોત બતાવાયા છે. પરંતુ, આ સરકારી તંત્રએ જાહેર કરેલા આંકડા છે. સાચો આંકડો એનાથી અનેક ગણો વધારે હોવાની શક્યતા છે, જેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. માસ્ક પહેરી નીકળવું આવશ્ય છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને રહેવું જરૂરી છે. નહીંતર ફરી લોક ડાઉન કે રાત્રિ કર્ફ્યૂની સ્થિતિ ઊભી થાય એવી દહેશત છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.