તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માધાપર જૂનાવાસ રહેણાક વિસ્તારમાં ગાયો રાખવાનો વાડો બનાવી ગંદકી કરવામાં આવી રહી છે. જે અંગે જૂનાવાસ ગ્રામ પંચાયતને ત્રણ મહિના પહેલા અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ ગ્રામ પંચાયત મંત્રી સ્થાનિકે આવી તથા અમે સાથે રહીને સ્થળની સ્થિતિ બતાવી હતી. જેને આજે ત્રણ મહિના જેટલો સમય થવા છતાં પણ મંત્રી તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ગુજરાત ધારા કલમની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની મંત્રીની ફરજમાં આવે છે. જે અંગે અમારા તરફથી આધાર પુરાવા, બિનખેતી નકશાની નકલ અને સામે પક્ષે ક્યાં દબાણ કરી વાડો બનાવ્યો છે, તેની વિગતવાર માહિતી આપવા છતાં પણ મંત્રી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રહેણાંક વિસ્તારમાં બીનખેતી થયેલી જમીનમાં દબાણ કરી વાડો બનાવીને ગાયોના છાણ-મૂત્રની ગંદકી કરવામાં આવી રહી છે. મંત્રી મનસ્વી રીતે વર્તન કરી કોઇ કાર્યવાહી કરતા નથી. આ અંગે અમારા તરફથી જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તેઓ તરફથી કોઈ ધ્યાન આપવામાં આવ્યો નથી તેમજ કાર્યવાહી કરવાની કોઈ સૂચના પણ અપાઈ નથી. હાલના રોગચાળાના સમયમાં મંત્રીની કામગીરી બેદરકાર સાબિત થાય છે. હવે સમયસર પગલાં નહીં ભરાય તો આજુબાજુના રહીશો તરફથી પંચાયત વેરો નહીં કરવાની પણ ચીમકી આપી છે.-વિશ્રામ નારાણ સેંઘાણી (માધાપર)
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.