તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં અન્ય રાજ્યોમાં પણ કોરોનાઅે ફરી માથું ઉંચક્યું છે અને ગુજરાત રાજ્યમાં ચારેક મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લાદી દેવાયો છે, જેથી પરપ્રાંતિય શ્રમિકોને ફરી લોક ડાઉનની ભીતિથી સતાવી રહી છે અને વતન ભણી ઉચાળા ભરવાની પેરવીમાં લાગી ગયા છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પેટા ચૂંટણીઅો અને તહેવારો બાદ કોરોનાઅે ફરી ચિંતા વધારી દીધી છે, જેથી સરકાર કોરોનાને પ્રસરતો અટકાવવા પ્રતિબંધો લાદી રહી છે, જેમાં ફરી લોક ડાઉનની સ્થિતિ સર્જાશે કે શું અેવી અટકળો થઈ રહી છે. જે ભીતિ પરપ્રાંતિય શ્રમિકોને સતાવી રહી છે. ન ઘરના અને ન ઘાટના રહીઅે અે પહેલા વતન ભણી દોટ મૂકવી જોઈઅે અેવી ચર્ચા પણ કરવા લાગ્યા છે.
સૂત્રોઅે જણાવ્યું હતું કે, માંડ માંડ થાળ પડી રહેલી અાર્થિક પ્રવૃતિઅો વચ્ચે સરકાર અને સરકારી તંત્રની બેદરકારીથી કોરોના ફરી વકરી રહ્યો છે. જેને કાબૂમાં લેવા ફરી સરકારી પ્રતિબંધોની શ્રમિકો ઉપર માનસિક અાડ અસર થઈ રહી છે. પરપ્રાંતિય શ્રમિક શું કરવું અને શું ન કરવું જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. કેટલાકે વતન ભણી ઉચાળા ભરવાની પેરવી પણ કરી દીધી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.