તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં અામ તો પટેલ ચોવીસીના ગામોમાં દિવાળી બાદ ગણેશજીની સ્થાપના સાથે શેરડીનું વાવેતર થતું હોય છે. ખાસ કરી માધાપર, ગઢશીશા, માંડવી, નખત્રાણા, અંજાર સહિતના વિસ્તારોમાં શેરડી વવાય છે. જોકે, જિલ્લા ખેતીવાડી કચેરીના 19મી નવેમ્બર સુધીના રિપોર્ટમાં હજુ સુધી શેરડીનું વાવેતર શૂન્ય છે.
પરંતુ, મૂળ કર્ણાટકની કાળી શેરડી હવે મૈસુરથી ટ્રકો ભરી કચ્છમાં ઠલવાઈ રહી છે. કેમ કે, પટેલ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શેરડીના રસને સાંઠામાંથી ચૂંસીને ખૂબ પીવાય છે. શિયાળામાં શેરડીના સાંઠાને દાંતોથી છોલી રસ ચૂંસવાની મજા જ કંઈક અોર છે. અેટલું જ નહીં પણ 14મી જાન્યુઅારીઅે મકરસંક્રાંતિના દિવસે પણ દાનપુણ્યમાં શેરડીના સાંઠા અપાય છે. ભુજમાં હમીરસર તળાવની સામે ચાર રસ્તે કાળી શેરડીની જાણ છૂટક માર્કેટ લાગી ગઈ છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.