તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામની ચાર કોવિડ સ્પેશ્યલ હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગ, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને મામલતદાર દ્વારા મોકડ્રીલ યોજીને વ્યવસ્થાઓ ચકાસવામાં આવી હતી. જો આગ લાગે તો કેવી વ્યવસ્થાઓ છે, અને સ્ટાફને સંશાધનોનો ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપીને મોકડ્રીલ કરાઈ હતી.ગાંધીધામમાં કોરોના સ્પેશયલ હોસ્પિટલ તરીકે કાર્યરત સેન્ટ જોસેફ હોસ્પિટલ, સ્ટર્લીંગ, ન્યુ હરીઓમ અને રામબાગ હોસ્પિટલમાં દર મહિનાની છઠ્ઠી તારીખે નિયમાનુસાર લેવામાં આવતી મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં મામલતદાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયા, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સ્મોક ડિટેક્શન એલાર્મ કામ કરે છે કે નહિ,
ઈઆરસી જેવી આપાતકાલીન સેવાઓનો આવી પરિસ્થિતીઓમાં સંપર્ક કઈ રીતે કરવાનો અને તે આવે છે કે કેમ, તેમજ અગ્નીશમન સંશાધનો નજર સામે હોવા છતાં ઘણી વાર તેનો ઉપયોગ કરતા ન આવડતું હોવાના કિસ્સાઓ બન્યા હોવાથી તેનો ઉપયોગ કેમ કરવો, તે અંગેની મોકડ્રીલ યોજીને સમજ અપાઈ હતી. ઈઆરસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગે ત્યારે ફોગને આગની લપટો પર નહિ, તેના મુળીયામાં, સ્ત્રોતમાં નાખવામાં આવે તો તેના પર જલદી કાબુ મેળવી શકાય છે. આ સંપુર્ણ કાર્યવાહીમાં અધિકારીઓની સાથે હોસ્પિટલોના અધિકારીઓ, તબીબો અને સ્ટાફ જોડાયો હતો.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.