તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામના ઓસ્લો સર્કલથી ગણેશનગર તરફ જતા રોડ ઉપર કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર પતિપત્નીને ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માત સર્જી નાશી ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કર્મયોગ એપાર્ટમેન્ટમા઼ રહેતા અને કાસેઝની કંપનીમાં નોકરી કરતા 52 વર્ષીય હંસારામ ધીસારામ મોબારસા (મારવાડી)એ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, બનાવ ગત બપોરે બન્યો હતો જેમાં તેઓ ગાંધીધામ મેઇન માર્કેટમાંથી ખરીદી કરી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા,
ત્યારે ઓસ્લો સર્કલથી ગણેશનગર તરફ જતા રોડ પા આવેલી એચડી એફસી બેંક સામે પૂરપાટ ધસી આવેલા જીજે-12-સીડી-3408 નંબરની ઇન્ડીકા કારના ચાલકે તેમની બાઇકને અડફેટે લેતાં તેમને ડાબા ખભા અને જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર તેમજ તેમની પત્નીને મણકાના ભાગે ફ્રેક્ચરની ઇજાઓ પહો઼ચી હતી ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક અકસ્માત સર્જી નાશી ગયો હતો. બી-ડિવિઝન પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામ સંકુલમાં આમ પણ બેફામ વાહન વ્યવહારને કારણે અકસ્માતોની ઘટના રોજિંદી બની છે તેમાં પણ હાલ તહેવારોના મોટા દિવસોમાં વાહનવ્યવહાર વધુ પ્રમાણમાં થતો હોઇ રોજ અકસ્માતોની ઘટના નોંધાઇ રહી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.