તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામમાં મીઠાના ઉદ્યોગ સમુહ પર પડેલા દરોડાની કાર્યવાહી આખરે ચોથા દિવસે પુર્ણ થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેમાં સોના, રોકડ મળીને કરોડો સંપતિની માહિતી બહાર આવી હોવાનું પણ જાણવા મળે છે, જોકે પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર હજી માહિતીનું પૃથક્કરણ કરાશે તેમ કહીને સતાવાર રીતે વિભાગ દ્વારા આ અંગે કોઇ કાંઈ કહેવાથી બચ્યું હતું.
ઈન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વીંગ દ્વારા અમદાવાદના ઉચ્ચ અધિકારીના નેજા હેઠળ રાજકોટની ટીમોને સામેલ કરીને ગાંધીધામના મીઠા સહિત વિવિધ ક્ષેત્રોએ કાર્યરત નીલકંઠ ગૃપના 27 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં સોનું અને રોકડ મળીને કરોડોની સંપતિ બહાર આવ્યાનું પણ સામે આવ્યું છે તો આ અંગેની સ્કૃટની હવે વિભાગ કરશે તેવું વિષયના તજજ્ઞોએ જણાવ્યું હતું, મંગળવારે શરુ થયેલી આ કાર્યવાહી શુક્રવારે પુર્ણ થઈ હતી. તો તેમાં મહતમ દસ્તાવેજો ડિઝિટલ સ્વરુપે મળ્યા હોવાનું પણ જાણવા મળે છે. એટલે કે ઘણા દસ્તાવેજો અને માહિતીને ડિઝિટલ સ્વરુપ આપીને મેઈલ, ડ્રાઈવમાં ચડાવી દેવાયા હતા. જેમાંથી રીકવરી કરવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.