તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આદિપુરના રામબાગ રોડ ઉપર પોલીસ ફરિયાદ નોંધાવવા જઇ રહેલા કેટરિંગના ધંધાર્થીને ચાર જણાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મુન્દ્રા સર્કલ પાસે રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા 42 વર્ષીય અમરભાઇ કેશવલાલ મીરાણીએ ફરિયાદ નોંધાવી છે કે, ગત સવારે તેમને ગાંધીધામ સ્થિત શિવધારા એજન્સીમાંથી અજિતસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો અને તમે મગાવેલો ઠંડા પીણા અને પાણીની બોટલના કાર્ટુન તૈયાર છે.
રૂ.56,700 નો ચેક મોકલાવજો અને લઇ જજો કહેતાં સામતભાઇને ટેમ્પો લઇ ચેક આપી માલ સામાન લેવા મોકલ્યા બાદ આ માલ સામાન અમિતભાઇ મોરવાણીને આપવાનો હોઇ એસઆરસી શાક માર્કેટ પાસે તેમની દુકાને રખાવ્યો હતો જેમાં અમિતભાઇ મોરવાણીએ આ માલની ગુવત્તા સારી ન હોઇ ડીલ કેન્સલ કરવાનું કહેતાં ત્યાંથી માલ સામાન લેવા ટેમ્પો મોકલ્યો હતો જેમાં અમિતભાઇ મોરવાણીએ ફોન ઉપર ગાળો બોલી ધમકી આપતાં આ બાબતે તેઓ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જઇ રહ્યા હતા.
ત્યારે અજિતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, અમિતભાઇ મોરવાણી અને એક અજાણ્યા ઇસમે તેમને છુટ્ટા હાથે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમની ફરિયાદના આધારે આદિપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.