તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ તાલુકાના દેશલપર વાંઢાયમાં સીમની સર્વે નં. 230 પૈકીની જમીન મુદ્દે 31 જાન્યુઆરીએ ગ્રામજનોએ સજ્જડ બંધ પાળીને સમસ્યાના ઉકેલ માટે તંત્રને મહેતલ આપી હતી જે પૂર્ણ થતાં હવે ગામને જોડતા હાઇવે પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારના બેનર્સ લગાવાયા છે જેને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે.
સૂચિત જમીનની ફાળવણી મુદ્દે અસંતુષ્ટ લોકોએ બંધનું એલાન આપ્યું ત્યારે કોઇ યોગ્ય નિરાકરણ નહિ આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી જેને લઇને ભુજ અને નખત્રાણાના હાઇવે પર બહિષ્કારના બેનર લગાવાયા હતા. આ અંગે સરપંચ મનીષાબેન ભગતનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, બંધના એલાન બાદ તંત્ર કે કોઇ રાજકીય પક્ષે આ મુદ્દે તસદી લીધી નથી જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બેનર્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.