તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિભાગીય સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભચાઉ ખાતે વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઇ હતી, જેમાં ખેડૂતોના માર્ગદર્શન અાપવામાં આવ્યું હતું. શિબિરમાં પ્રથમ વિભાગીય સંશોધન કેન્દ્રના વડા ડો. એ. એચ. સિપાઈ અને ખેડૂતો અગ્રણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શિબિરને ખુલ્લી મુકાઇ હતી. ડો. એ. એચ. સિપાઈએ ભચાઉ તાલુકાના અગ્રણી ખેડૂતોને ખેતી બાબતે જરૂરી માર્ગદર્શન અાપ્યું હતું, જેમાં આબોહવા જમીન, પાણી અને બિયારણ તેમજ પાકની માવજત બાબતે પદ્ધતિસરનું જ્ઞાન આપ્યું હતું. વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે યોજાયેલી શિબિરમાં એન. એચ. જાદવ, દીપકભાઈ સેન અને કુલદીપભાઈ સેવકે પણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જયદીપ હિરપરા, ગુંજન પરમાર, જૈમિન પટેલ, સુરજ ગોહિલ, નરેશ પરમારે સહયોગ અાપ્યો હતો.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.