તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર-મેઘપર રોડ પર આવેલ ગોકુલ નગરમાં ગટરના પાણી ભરાતા હોવાથી સ્થાનિકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. જેથી આ બાબતની ફરિયાદ લઈ મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી. આ બાબતે ગોકુલ નગરની માહિલાઓએ પાલિકા કચેરીએ આવી ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, આગળના વિસ્તારમાં ભરતી ભરી નાખવામાં આવી હોવાથી અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી તમામ ગટરનું પાણી ગોકુલ નગર વિસ્તારમાં આવે છે. જેના કારણે ગંદકી થતી હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે અને આ વિસ્તારમાં બીમારી ફેલાવાની પણ દહેશત છે. જેથી તાત્કાલિક આ સમસ્યાનો નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.