તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ 2020 મહોત્સવ ભક્તિભાવે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ કોવિડ-19 સંદર્ભે આ આયોજનની સાથે નવા વર્ષે યોજાતા સ્નેહમિલનના કાર્યક્રમને પણ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંદર્ભે અંજાર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઇ ઠક્કરની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. જેમાં આગામી તા. 21/11ના જલારામ જયંતિની ઉજવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લેતા આ ઉજવણી સાદગીથી અને જમણવાર ન રાખી અને મંદિરે માત્ર સૂકી પ્રસાદી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે જ્ઞાતિનું સ્નેહમિલન ન યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.