તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલ અરિહંત કોલોની માંથી 15 વર્ષીય કિશોરનું અપહરણ થઈ જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી મૂળ યુ.પી અને હાલે અરિહંત કોલોની, વેલ્સપન ગેટ સામે, વરસામેડી સીમમાં રહેતા 39 વર્ષીય મમતા કમલેશભાઈ ભગવાનદાસ મિશ્રાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 4/12ના બપોરે 3 વાગ્યે ફરિયાદી નોકરીએથી તેમના ઘરે આવ્યા ત્યારે તેમના બંને પુત્રો મોબાઈલમાં ગેમ રમવા માટે ઝઘડતા હતા. જે બાબતે ઠપકો આપતા તેમનો 15 વર્ષીય પુત્ર ઉત્કર્ષ ઘર માંથી બહાર ચાલ્યો ગયો હતો. જે મોડી રાત સુધી પરત ન આવતા તેનું કોઈ અજાણ્યા ઈસમો અપહરણ કરી ગયા હોવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.