તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રજવાડા સમયમાં વહાણવટા અને મત્સ્યોદ્યોગક્ષેત્રે ધમધમતુ તળાજાનું સરતાનપર બંદર ભૌગોલીક અને સામુદ્રીક દ્રષ્ટીએ કુદરતી સાનુકુળતા ધરાવતુ હોવા છતા તંત્રની ઘોર ઉદાસીનતા અને તળાજા વિસ્તારનાં પ્રજાનાં પ્રતિનીધીઓની હળાહળ નિષ્ક્રીયતાને કારણે નામશેષ થઇ રહયું છે. છેલ્લા દસકામાં ભાંગતા જતા સરતાનપર બંદરગાહને ઉગારવા રાજય અને કેન્દ્ર સરકારની બંદરિય વિકાસની અનેકવિધ યોજનાઓ અને ગાઇ વગાડીને જાહેર કરેલ ઘોષણાઓનું સાચા અર્થમાં અમલીકરણ કરાવીને સરતાનપર સહીત તળાજાનાં કંઠાળ અને પછાત વિસ્તારને પ્રગતિ પંથે લાવવામાં તળાજા વિસ્તારનાં તમામ રાજકિય પક્ષોનાં કહેવાતા નેતાઓ અને પ્રજાનાં પ્રતિનીધીઓ નિષ્ફળ રહયા છે.
જેનાં કારણે આ વિસ્તારનાં ગામડાઓનાં હજારો શ્રમજીવી પરિવારો વર્ષનાં છ થી આઠ મહીના પેટીયુ રળવા ઘર ખાટલા સાથે નિર્વાસીત થઇ જાય છે.સૌરાષ્ટ્ર, કચ્છ, અને દક્ષીણ ગુજરાતનાં અનેક બંદરોએ અવિરત વિકાસની ગતિ પકડી છે. જયારે સંપૂર્ણપણે ભાંગી ગયેલ સરતાનપર બંદરને બેઠુ કરી વિકસાવવા તેમજ બંદરિય ક્ષેત્રનાં વિકાસની યોજનાઓ આ વિસ્તારમાં સાકાર કરવા પરિણામલક્ષી પ્રયત્નો થયાજ નથી.
એક સમયે આ બંદર આઠ મહિના ધમધમતું હતું
એક સમયે વહાણવટા અને માછીમારીથી ધીકતા સરતાનપર બંદરેથી ડુંગળી, મીઠુ, અનાજ, કપાસની નિકાસ અને લાકડા, નળીયા, વાંસ, ખજુર, ખારેક, તેજાનાની આયાત માટે અહીંનાં વહાણોની ખેપથી વર્ષમાં આઠમાસ આ બંદર ધમધમતુ હતુ. તેમજ અહીંથી માછીમારી ક્ષેત્રે વેરાવળ, જખૌ, (કચ્છ) તરફનો ભારે કારોબાર રહેતો હતો. પરંતુ 1982 માં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દરિયા કાંઠે તારાજી વહોરતા ભારે વાવાઝોડાથી સરતાનપર બારાને ભારે નુકસાન થયું હતું. બંદરની જેટીઓ, મકાનો, ગોડાઉનો, કસ્ટમ ઓફીસ, ફીશ ફાર્મની લેબોરેટરી, તળાવડાઓ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત ગયા હતાં
સરતાનપર બંદરની વ્યુહાત્મક હકીકત
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.