આયોજન:સિહોર એલ.ડી.મુની હાઇસ્કૂલનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

સિહોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસ્કૃતિક કાર્યક્રમ, વર્ગખંડ અને ફર્નિચરના દાતાઓનું સન્માન અને સ્મૃતિ ગ્રંથ વિમોચન સહિતના કાર્યક્રમ

ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુની હાઇસ્કૂલનો શતાબ્દી મહોત્સવ સારસ્વતેયમ તા.11-3-23ને શનિવારે તેમજ તા.12-3-23ને રવિવારે ઉજવાશે.જેમાં તા.11ને શનિવારે સવારે 9.30 કલાકે શતાબ્દી મહોત્સવ સમારોહ યોજાશે.આ કાર્યક્રમમાંસાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, લક્ષ્મીદાસ દામોદરદાસ મુની પરિવારના સદસ્ય (દાતા-મુંબઇ), મહેમાનો, સિહોરના અગ્રણીઓ,અતિથિઓ, દાતાઓ, સંતો-મહંતો, વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.ભદ્રાયુભાઇ વચ્છરાજાની ઉપસ્થિત રહેશે. આ જ દિવસે સાંજે 4.30 કલાકથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમજ વર્ગખંડ અને ફર્નિચરના દાતાઓનું સન્માન અને સ્મૃતિ ગ્રંથ વિમોચન કાર્યક્રમ યોજાશે.

તા.12/3ને રવિવારે સવારે 9.30 કલાકથી શૈક્ષણિક વિચારમંથન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાશે. જેમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરશોતમભાઇ સોલંકી, દાતા અને ઉદ્યોગપતિ નવીનચંદ્ર મહેતા સહિતના દાતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.મનહરભાઇ ઠાકર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઇને શાળા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...