સમસ્યા:સિહોરમાં વધતાં જતા પ્લાસ્ટિકના પ્રદૂષણને કારણે પર્યાવરણને ખતરો

સિહોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડા પાણીના પાઉચ,શાકભાજીના ઝબલા, ઠંડા પીણાની બોટલો વિ. ચીજવસ્તુઓ ગમે ત્યાં ફેંકે છે

સિહોર શહેરમાં વધતું જતું પ્લાસ્ટિકના ઝબલાનું પ્રદૂષણ સિહોરવાસીઓ માટે શિરદર્દ સમાન બની ગયું છે. અનેક સ્થળોએ પ્લાસ્ટિકના ઝબલાના જોવા મળી રહ્યા છે. હાઇ-વે પર અનેક જગ્યાએ પ્લાસ્ટિકના ઝબલા જોવા મળે છે. ઠંડા પાણીના પાઉચ,શાકભાજી કે અન્ય ખરીદી બાદ ફેંકેલ ઝબલા,ઠંડા પીણાની બોટલો સહિતની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ગમે ત્યાં ફેંકી દીધેલી હાલતમાં પડી જોવા મળે છે.

આ પ્લાસ્ટિકના ઝબલાને બાળીને પણ તેનો નાશ કરી શકાતો નથી. તેને બાળવામાં પણ પર્યાવરણને ખાસ્સુ નુકસાન થાય છે. જો સિહોરમાં લોકો પોતાની જાતે પ્લાસ્ટિકના ઝબલાનો અત્યંત આવશ્યકતા હોય ત્યારે જ ઉપયોગ કરે તો આ પ્રદૂષણ ઘટી શકે તેમ છે.ઉપરાંત તંત્ર પણ આ બાબતે સતર્ક બની પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે લાલ આંખ કરે તેની પણ ખાસ આવશ્યકતા છે. ગાયો પણ આ પ્લાસ્ટિકના ઝબલા ગાય ખાય જાય તો ઘણીવાર ગાયમાતાનું મોત પણ નીપજે છે.

સિહોરના વધતાં પ્લાસ્ટિક અને કચરાના પ્રદૂષણથી જંગલની સુંદરતામાં ઘટાડો
સિહોરનું જંગલએ સિહોરની આન, બાન અને શાન છે. આ જંગલમાં ધીમે-ધીમે પ્લાસ્ટિક અને અન્ય કચરાનું પ્રદૂષણ વધી રહ્યું છે. આ બાબત બેહદ ગંભીર છે. અને તેને વન વિભાગે ગંભીરતાથી લેવી જ જોઇએ. લોકોએ પણ જંગલની સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્વયંભુ વન વિભાગને સહકાર આપવો રહ્યો. આ બાબત બેહદ ગંભીર છે. અને તેને વન વિભાગે ગંભીરતાથી લેવી જ જોઇએ.

લોકોએ પણ જંગલની સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્વયંભુ વન વિભાગને સહકાર આપવો રહ્યો. અત્યારે તો આ જંગલમાં ધીમે-ધીમે પ્રદૂષણના પગરવ થઇ રહ્યા છે. પરંતુ આ બાબતે ઉદાસીનતા દાખવવામાં આવશે તો આ જંગલ પ્રદૂષિત થઇ જશે. અને જો આપણે પર્યાવરણ બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે. આથી વન વિભાગ અને નગરજનોના સંયુક્ત અભિયાન થકી સિહોરની શોભા સમાન આ જંગલને રળિયામણું બનાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...