ભાવનગર જિલ્લાના પાલીતાણા બિરાજમાન કાળભૈરવ મંદિર ખાતે કાળભૈરવ જન્મ જયંતિને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના નેક નામદાર યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી.
કાળભૈરવ દાદાની જન્મ જયંતિની ઉજવણી
ભાવનગર જિલ્લાના પાલીતાણાના મેઈન બજારમાં ભૈરવનાથ ચોક ખાતે વિરાજમાન કાળભૈરવ મંદિર ખાતે કાળભૈરવ જન્મ જયંતિને લઈને વિવિધ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સાંજના સાત કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આરતીબાદ કાળભૈરવ દાદાના જન્મ જયંતિ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને રાત્રિના નવ કલાકે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાઆરતી બાદ ભવ્ય પ્રસાદનું પણ આયોજન
આ યજ્ઞમાં ભાવનગર નેક નામદાર યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલ દ્વારા આહુતિ આપવામાં આવી હતી, સાથે જ પાલીતાણાના તમામ ડોક્ટરો દ્વારા કાળભૈરવને આહુતિઓ આપવામાં આવી હતી. કાળભૈરવ મંદિર ખાતે સાંજની મહાઆરતી બાદ ભવ્ય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.