આવતી કાલ તા.2 મેને મંગળવારે અખાત્રીજનું પર્વ ઉજવાશે. આ પર્વે ભાવનગરનો સ્થાપના દિવસ તો છે જ સાથે અખાત્રીજને કોઇ પણ પ્રકારના શુભ કાર્ય કરવા માટે તે વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્ય કરી શકાય છે. હિન્દુ ધર્મમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. લગ્ન, ગૃહપ્રવેશ, જનોઈ સંસ્કાર સહિત કોઈપણ શુભ કાર્ય કરવા માટે અક્ષય તૃતીયાને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્યો કરી શકાય છે.
અક્ષય તૃતીયાનો દિવસ શુભ કાર્ય કરવા માટે ખૂબ જ સારો છે. આ ઉપરાંત આ દિવસે કિંમતી વસ્તુઓ જેવી કે નવા કપડાં, ઘરેણાં, ઘર-ગાડી વગેરેની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
અક્ષય તૃતીયાનો દિવસ અબુજા મુહૂર્ત તરીકે ગણવામાં આવે છે. આ દિવસે લગ્નની સાથે કપડા, આભૂષણો, મકાનો અને વાહનો વગેરેની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. આ સાથે આ દિવસે ધાર્મિક કાર્યોને પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી સુખ અને ધનની વૃદ્ધિ થાય છે.તૃતીયા તિથિ 3 મે 2022ના રોજ સવારે 5.19 વાગ્યાથી શરૂ થઈને 4મી મેના રોજ સવારે 7.33 વાગ્યા સુધી રહેશે. આમ કોરોના કાળ બાદ બે વર્ષના અંતર પછી કાલે અખાત્રીજની ધામધૂમથી ઉજવણી થશે.
અખાત્રીજનું મહાત્મ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.