તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તા.6 એપ્રિલને મંગળવારે ભાજપના સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાર્ટીના કાર્યકર્તાઓને સવારે 10 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરવાના છે. ભાવનગર શહેરમાં ત્રણ સ્થળે LED સ્ક્રીન લગાવીને સ્થાપના દિનની ઉજવણી કરાશે.
જેમાં ભગવતી સર્કલ, કાળિયાબીડ ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, શહેર મહામંત્રીઅરૂણભાઈ પટેલ, ( તખ્તેશ્વર ઝોન ) બાલવાટીકા, બોરતળાવ ખાતે મેયર કીર્તિબેન દાણીધારીયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડયા, મહામંત્રીડી.બી.ચુડાસમા ( ગૌરીશંકર ઝોન ) અને શિવાજીસર્કલ ખાતે રાજય મંત્રી વિભાવરીબેન દવે, મહામંત્રી યોગેશભાઈ બદાણી ઉપસ્થિત રહેશે. ( રૂવાપરી ઝોન ) ખાતે સંગઠન ના તમામ હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ – મહામંત્રી, નગરસેવકો, પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ આ વિડીયો કોન્ફરન્સ જોડાશે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.