તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવાથી તળાજા-મહુવા નેશનલ હાઇવે અતિ બિસ્માર બની ગયો છે જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.આ પ્રશ્ને તજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ તાકીદે રીપેરીંગ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે. બિસ્માર માર્ગ પ્રશ્ને અનેકવખત રજુઆત કરાયા છતા કોઇ ઉકેલ આવતો નથી.ભાવનગરથી સોમનાથનો નેશનલ હાઇવે બની રહયો છે.જેનું કામ ગોકળગતિએ ચાલી રહયું છે.આ કામની સમય મર્યાદા પણ પુરી થઇ ગઇ છે.હાલમાં જુનો માર્ગ પણ અત્યંત બિસ્માર થઇ ગયો છે. ભાવનગરથી તળાજા-મહુવા રોડ પર ભારે ટ્રાફીક રહે છે
.જેથી આ અતિ બિસ્માર રોડનું રીપેરીંગ તાત્કાલિક શરૂ કરવા ધારાસભ્ય બારૈયાએ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ચીફ મેનેજરને રજુઆત કરી છે.આ રોડના ઝડપી કામ અને જુના રોડના રીપેરીંગ બાબતે વિધાનસભામાં અને નેશનલ હાઇવે ઓથોરીટીને વારંવાર રજુઆતો કરાઇ છે છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.રીપેરીંગ કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારની જનતા રોડ પર ઉતરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને નેશનલ હાઇવે ઓથોરીટીની રહેશે તેવી ચિમકી ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ ઉચ્ચારી છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.