તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે જગ વિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે વસંત પંચમીના પાવન પુણ્યશાળી પર્વ તેમજ આજરોજ 195મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવ નિમિત્તે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના નિજ મંદીરમાં ખજુરપાકનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
તેમજ સવારે મંગળા આરતી તેમજ શણગાર કરી આરતી કરવામાં આવી હતી. શણગાર આરતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ સવારે 11 કલાકે ખજુરપાકના ભવ્ય અન્નકુટ આરતી કરવામાં આવી હતી. હનુમાનજીદાદાને ધરાવવામાં આવેલ ખજુરપાક ના અન્નકુટના દર્શન સવારથી 11 કલાકથી બપોરના 1 કલાક સુધી રાખવામાં આવ્યા હતા. જેના દર્શનનો લાભ હજારો હરિભક્તોએ લીધો હતો. હનુમાનજી મંદીરના કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ વસંતપંચમી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
આ વિશેષ ઉજવણીમાં કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી, પૂજારી સ્વામી(ડી.કે.સ્વામી) સહીત મંદીર પ્રશાસન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ દિવ્ય શણગારના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનૂભવી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.