તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરનું જાહેરનામુ શનિવારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા ભાવનગર શહેરમાં લાગુ થઈ ગઈ છે છતાં પણ ભાવનગર શહેર જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાંજ મુખ્યમંત્રીનું સૂર્ય ઉર્જાનું બેનર યથાવત છે.
શહેરની અનેક સરકારી કચેરીઓમાં બેનરો યથાવત છે. જેમાં સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના નું બેનરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું બેનર હજી પણ કચેરીઓમાં જોવા મળી રહ્યાં છે.
શહેરના વિવિધ રોડ ઉપરથી અને જાહેર સ્થળોએ લાગેલા અન્ય પાર્ટીની ઝંડાઓ તથા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરી હતી તો સરકારી કચેરીઓ માં હજી બેનરો ઉતારાયા નથી અને આદર્શ આચારસંહિતાનો ખુલ્લે આમ ભંગ થઈ રહયો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.