તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશ અને દુનિયામાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ત્યારે ઠળીયામાં કોરોના વાયરસ ન ફેલાઇ તેના ભાગરૂપે ગામના તમામ જ્ઞાતિના આગેવાનો પ્રમુખો, પંચાયત બોડી, સીએચસીનો સ્ટાફ અને શિક્ષકો વગેરે સામાજીક અંતર જાળવી રાખીને એક નિર્ણય લેવામાં આવ્યો કે ઠળીયા ગામમાં ત્રણ દિવસ સુધી એટલે કે, તા. 11-12-13 દિવસ સુધી કોઇપણ દુકાન ખોલી શકાશે નહીં અને માત્ર દુધ અને દળવાની ઘંટી સીવાયની તમામ દુકાનો બંધ રહેશે.અને બહારથી આવેલા લોકો પૂના, મુંબઇ સુરત, અમદાવાદ, વગેરેને હોમ કોરોન્ટાઇન પણ ફરજીયાત કરવામાં આવ્યા છે. ગામના આગેવાનોની અને જ્ઞાતિવાઇઝ ટુકડીઓ બનાવી અને વિસ્તાર વાઇઝ જવાબદારીઓ સોપવામાં આવેલ છે. આ નિર્ણય ગામના હિત માટે ગામના લોકો, આગેવાનો, વેપારીઓ અને મજુરો વગેરે એ લીધો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.