તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રવિવાર આત્માના કારક સૂર્ય નો દિવસ અને પૂર્વાષાઢા નક્ષત્ર માં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ નક્ષત્ર સાત્વિકતા, પવિત્રતા અને પરિપક્વતાના કારક ગુરુનું નક્ષત્ર છે, આજનો દિવસ આત્મીયજનો ને તેમના પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરવાનો દિવસ છે. આજે ભગવાન શ્રીકૃષ્ણ કે જેમણે પ્રેમનો અર્થ સમજાવ્યો , તેમને યાદ કરવા જોઈએ. જાણીતા રેઈકી હીલર પૂર્વી જોશી ના જણાવ્યા લોકોની માનસિક સ્થિતિ હજી સુધી મહામારી ની અસર હેઠળ છે ત્યારે આ પ્રકારે દિવ્ય પ્રેમ ને વ્યક્ત કરવાનો અને એ પ્રેમને હંમેશ માટે નિભાવવાની લાગણી આનંદ આપે છે.
આજના દિવસે સૂર્ય ગુરુ અને શનિ નું પ્રાધાન્ય હોવાથી વૃદ્ધાશ્રમ અને ઘરના વડીલોને વધારે સુંદર ભેટ સોગાતો મળે અને તેમની સાથે ઉજવણીના પ્રસંગો બને, આજે ચંદ્ર થી શુક્ર બારમે અને શુક્ર અસ્ત થતો હોવાથી યુવા વર્ગમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો ઉત્સાહ અપેક્ષા કરતા ઓછો જોવા મળશે. માતા-પિતા, ઈશ્વર, વડીલો, ગુરુજનો અને પ્રકૃતિ પ્રત્યેનો દિવ્ય પ્રેમ અને આ તમામ લાગણીઓ વ્યક્ત કરે છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.