રાહત:જિલ્લાના કુલ 2,27 લાખ કૃષિ વીજ ગ્રાહકોને રૂ.360 કરોડની સબસિડી

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોના પ્રશ્ને સમાધાન કરી રાહત આપવામાં આવી
  • 2021માં રૂ.162.23 કરોડ અને 2022માં રૂ.198.08 કરોડની​​​​​​​ સબસિડી

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ તા. 31 ડિસેમ્બર, 2022ની સ્થિતિએ ભાવનગર જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે જેમાં વર્ષ 2021માં કુલ 1,12,530 ગ્રાહકોને અને 2022માં કુલ 1,14,550 ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં 2,27,080 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે.

જેમાં વર્ષ 2021માં રૂ. 162.23 કરોડ અને વર્ષ 2022માં રૂ. 198.08 કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 360.31 કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે.વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...