તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ 6 અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાય છે. આવેદનપત્રો ભરવા ની અગાઉ અંતિમ તારીખ 4 ફેબ્રુઆરી હતી તે હવે લંબાવીને 11 ફેબ્રુઆરી કરવામાં આવી છે. આ પરીક્ષા માટે આવેદનપત્રો હવે તારીખ 11 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે અને ઓનલાઈનથી તારીખ 13 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. પોસ્ટ ઓફિસ ફી ભરવાનો અંતિમ દિવસ આવતીકાલ તારીખ 5 ફેબ્રુઆરી છે.
www.seb.exam.org પર આવેદન પત્રો ભરી શકાશે. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા કરાયેલા આવેદનપત્રો શિક્ષણાધિકારી કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ 19 ફેબ્રુઆરી રહેશે. જે તે પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારી અથવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આવેદન પત્રોની ચકાસણી કરી 25 ફેબ્રુઆરી સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગીન પર ઓનલાઇન કરવાના રહેશે. પરીક્ષાના આવેદનપત્રોની કોપી જમા કરાવવાની અંતિમ તારીખ 4 માર્ચ રહેશે પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે જણાવ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.