તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની મહામારીને લીધે વિકટ સ્થિતિ સર્જાઇ છે ત્યારે ગુજરાત શાળા સંચાલક મહામંડળે જણાવ્યું છે કે શાળાઓ બંધ હોય એવી સ્થિતિમાં જે વાલીઓની આવક બંધ છે અને આર્થિક વ્યવસ્થા નથી તેમના માટે ફી લેવાનો કોઇ દૂરાગ્રહ નથી. પરંતુ જે વાલીઓ નોકરી કે વ્યવસાય કરે છે અને નિયમિત આવક છે તેઓને ખાનગી શાળાની પણ સ્થિતિ શિક્ષકોના પગાર, મકાન ભાડું, મકાન લોન અને અન્ય ખર્ચને વિચારી સંતાનોની ફી ભરવા અનુરોધ કરાયો છે.
નવું સત્ર ખુલ્લે ત્યારે હપ્તથી ભરી આપે
લોકડાઉનના સમયગાળામાં રાજ્ય સરકારની સૂચના મુજબ વર્ષ 2020-21ની ફી વધારવાની નથી. માર્ચ-એપ્રિલ અને મે માસની ફી જે વાલીની બાકી છે જે અત્યારે ભરી શકે તેમ નથી તે નવું સત્ર ખુલ્લે ત્યારે હપ્તથી ભરી આપે. આ માટે શાળાને પત્ર લખી જાણ કરવા જણાવાયું છે. આર્થિક મુશ્કુલી હશે તો ફી ભરવાનો સમયગાળો વધારી આપશે. આ વ્યવસ્થા અનુસાર કોઇ પણ વાલીને ફી અંગે કોઇ પણ પ્રશ્ન હશે તો જે તે સમયે પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. બાકી કોઇ અસમજમાં ન રહેવા અને અફવાઓથી ન દોરાવવા ગુજરાત સ્વનિર્ભર સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.