નેપાળના જોમસમ વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ચાલકદલ અને મુસાફરો સહિત કુલ 22 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ પૈકી બે મુસાફરો જર્મનીના છે તેની વિગતો મળી શકી નથી, જ્યારે 4 ભારતીય સહિતના 20 લોકોને બાપુ દ્વારા સંવેદના રુપે પ્રત્યેક મૃતકના પરિવારને રૂપિયા પાંચ હજાર લેખે એક લાખની સહાય પહોંચાડવામાં આવી રહી છે.
આ જ પ્રમાણે મહુવા તાલુકાના કોટડા ગામે એક જ પરિવારના ચાર વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. તેમના પરિવારજનોને પણ રુપિયા 20 હજારની રોકડ સહાય મોકલાઈ છે. યોગાનુયોગ એ જ દિવસે ભરૂચ નજીકના એક ગામમાં પણ પાંચ વ્યક્તિઓનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનોને પણ રૂપિયા 25 હજારની સહાય પહોંચતી કરવામાં આવી છે. આમ કુલ મળીને રુપિયા 1 લાખ 45 હજારની સહાય મોરારિબાપુએ મોકલાવી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.